નિજમાં નિવાસ – મીરપુર ચાતુર્માસ 2.0

આ પારથી પેલે પાર... એક યાત્રા સ્વયંની શોધમાં

પ્રારંભ: ૨૮ જુલાઈ ૨૦૨૬ (અષાઢ સુદ ચૌદસ) | ૫૦ દિવસ તમારા પોતાના માટ

પાવન નિશ્રા
પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય શ્રીમદ્ લબ્ધિવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ

આ ચાતુર્માસમાં તમને શું મળશે?

સદ્દગુરુ સાન્નિધ્ય

જીવંત તીર્થ સમાન ગુરુ ભગવંતના શ્રીમુખેથી ઝરતી અમૃતવાણી અને પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સાધના કરવાનો લ્હાવો.

મૌન સાધના

વાણીના સંયમ દ્વારા શક્તિનો સંચય કરવો અને શબ્દોથી પર થઈને આંતરિક મૌનનો અનુભવ કરવો.

તાત્ત્વિક પ્રવચન અને ચિંતન

જીવન અને આત્માને સ્પર્શતા ગહન તત્ત્વોની સમજણ અને તેના પર શાંતિથી મનન-ચિંતન કરવાનો અવસર.

ધ્યાનાભ્યાસ

એકાગ્રતા કેળવવા અને ચંચળ મનને સ્થિર કરવા માટે નિયમિત ધ્યાન પ્રયોગો અને યૌગિક ક્રિયાઓ.

મોબાઈલ મુક્તિ

મોબાઈલ અને ઈન્ટરનેટથી સંપૂર્ણ દૂરી, જેથી મન એકાગ્ર અને શાંત રહી શકે.

શ્વેત વસ્ત્રો પરિધાન

અહીં બધા જ સાધકો શ્વેત (સફેદ) વસ્ત્રોમાં હશે, જેનાથી ઊંચ-નીચના ભેદભાવ ભૂલાઈ જશે અને પરમ સાદગી તેમજ સાત્ત્વિકતાનો અનુભવ થશે.

અંતરની શોધ

બહારના કોલાહલથી દૂર, સ્વયંના અસ્તિત્વને ઓળખવાની અને ભીતરમાં ઉતરવાની એક ઊંડી યાત્રા.

શુદ્ધ ચિત્તનો વિકાસ

કષાયો અને વિકારોને દૂર કરી, ચિત્તને નિર્મળ, પ્રસન્ન અને સકારાત્મક બનાવવાનો અભ્યાસ.

જનસંગથી વિરામ

રોજિંદા સામાજિક વ્યવહારો, મોબાઈલ અને સાંસારિક સંબંધોથી થોડો સમય અલિપ્ત થઈને એકાંતવાસ.

વૈરાગ્યનો વિકાસ

સંસારની અસારતા સમજીને મોહ-માયાના બંધનો તોડવાની અને સાચા સુખને પામવાની આંતરિક તૈયારી.

મનનો વિરામ

સતત દોડતા વિચારોના પ્રવાહને અટકાવી, થાકેલા મનને સાચી શાંતિ અને વિશ્રાંતિ.

મોક્ષમાર્ગી ભક્તિ

માત્ર બાહ્ય ક્રિયાકાંડ નહીં, પણ આત્માને પરમાત્મા સાથે જોડતી ભાવવાહી અને મોક્ષલક્ષી ભક્તિ.

જીવનની સાચી દિશા

'મારે ક્યાં જવું છે?' - જીવનના ધ્યેયને સ્પષ્ટ કરતી સાચી દિશાસૂઝ અને માર્ગદર્શન.

આત્મિક ઉન્નતિ

પોતાના દોષોને જોઈને તેને દૂર કરવા અને આત્માને ઊર્ધ્વગતિ (પ્રગતિ) તરફ લઈ જવાનો પુરુષાર્થ.

આ જન્મને સાર્થક કરવાની તક

મળેલા દુર્લભ માનવભવને માત્ર ભૌતિક સુખોમાં વેડફવાને બદલે તેને સફળ અને સાર્થક બનાવવાનો શ્રેષ્ઠ અવસર.

આ પારથી પેલે પાર

ભવના આ કિનારેથી મુક્તિના કિનારા તરફની દ્રષ્ટિ કેળવવી - એક આધ્યાત્મિક રૂપાંતરણ

સાત્ત્વિક આહાર

'જેવો આહાર, તેવો વિચાર'. સાધનામાં મન પ્રફુલ્લિત રહે અને શરીર નિરોગી રહે તે માટે જૈન પરંપરા મુજબનું શુદ્ધ, સાત્ત્વિક અને પોષણયુક્ત ભોજન.

સાત્ત્વિક વિસ્તૃતિનો ભંડાર

: જીવનમાં ફરી ફરી સાત્ત્વિક સ્મૃતિઓને મમળાવીને પરમતત્વ સુધી પહોંચાડવાની ભૂમિકા સર્જે એવા અદ્દભૂત દ્રશ્યોનો સંગ્રહ

નોંધણી કરો

ચાતુર્માસ

ચાતુર્માસ એટલે ચાર મહિનાનો પવિત્ર સમયગાળો, જે સામાન્ય રીતે અષાઢ મહિનાથી કાર્તિક મહિના સુધી માનવામાં આવે છે. આ સમય દરમિયાન સાધુ-સંતો યાત્રા બંધ રાખે છે અને ભક્તો ઉપવાસ, સાધના, દાન અને આત્મશુદ્ધિ પર વિશેષ ધ્યાન આપે છે.

જ્યાં પ્રકૃતિ પોતે મૌન ધારણ કરીને ધ્યાનસ્થ છે.

સાધના માટેનું સ્વર્ગ: બે પર્વતોની ગોદમાં

સાધના માટે સ્થળની પસંદગી ખૂબ મહત્વની છે. મીરપુર તીર્થની ભૌગોલિક રચના અદ્ભુત છે. આ પવિત્ર જિનાલય બરાબર બે વિશાળ પર્વતમાળાઓના મિલન સ્થાન ની નીચે સ્થિત છે. આ મિલન બિંદુ પર કુદરતી રીતે જ એક એવી દિવ્ય ઊર્જા ઉત્પન્ન થાય છે, જે સાધકને તુરંત જ ધ્યાનની ઊંડાઈમાં લઈ જાય છે. અહીંનું તમને તમારા શ્વાસનો અવાજ સાંભળવા મજબૂર કરશે. આ ભૂમિ પર પગ મૂકતા જ મન આપોઆપ શાંત થઈ જાય છે.

108 શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભગવાન

ગૌરવવંતો ઈતિહાસ : આ તીર્થ ૧૨૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે. વિ. સં. ૮૦૮માં વીર હમીર દેવડાએ વસાવેલું આ નગર ત્યારે ‘હમીરપુર’ તરીકે ઓળખાતું અને ‘હમીરગઢ’નો કિલ્લો તેની શાન હતો. અહીંના ખંડેરો અને પ્રાચીન જિનાલયો આજે પણ એ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે.
આ ભૂમિ માત્ર દર્શનનું કેન્દ્ર નથી પણ સાધનાનું ધામ છે.

• અહીં જ પાર્શ્વચંદ્રગચ્છના આચાર્યશ્રીનો જન્મ થયો હતો.
• તપાગચ્છના શ્રી સૌભાગ્યનંદસૂરિએ અહીં જ પવિત્ર ‘શ્રી મૌન એકાદશી’ની કથા રચી હતી. આ ઉલ્લેખો સાબિત કરે છે કે આ ભૂમિ સદીઓથી જ્ઞાન, સાધના અને ધર્મનું ઝરણું રહી છે.

પુનરોદ્ધાર: શ્રદ્ધાનો વિજય સમયના વહેણમાં આક્રમણોને કારણે આ તીર્થ થોડા સમય માટે વિસરાઈ ગયું હતું. પરંતુ શ્રદ્ધા ક્યારેય અસ્ત નથી પામતી. શિરોહીના શ્રાવકોની નજર આ લુપ્ત તીર્થ પર પડી અને વિ.સ. ૧૯૯૫માં તેનો જીર્ણોદ્ધાર થયો. આજે ફરી આ તીર્થ ‘મીરપુર’ના નામે ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. અહીંની પ્રાચીન શિલ્પકળા અને પ્રભુની સોહામણી મૂર્તિ દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરે છે.

ગોડીજી પાર્શ્વનાથ: અત્યારે મુંબઈમાં બિરાજમાન ગોડીજી પાર્શ્વનાથ મીરપુર તીર્થના મૂળનાયક હતા જે આશરે 200 વર્ષ પહેલા મુંબઈ લાવવામાં આવ્યા હતા.

જેમના આશીર્વાદ અને આજ્ઞાથી આ ધર્મકાર્ય શક્ય બન્યું છે...

પુણ્યશાળી ગુરુ પરંપરા

કૃપાસ્ત્રોત
સાધનાભૂમિ: મીરપુર જૈન તીર્થ | ઉર્જાબીજ: શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભગવાન સાધના-તેજ: શ્રી ગીતાર્થ-સંવિગ્ન-સુવિહિત-સદ્દગુરુ પરંપરા

દિવ્યાશીર્વાદ
કર્મસાહિત્યનિષ્ણાંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ન્યાયવિશારદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સહજાનંદી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ધર્મજિત્ સૂરીશ્વરજી મહારાજા

શુભાશીર્વાદ
ગીતાર્થ મૂર્ધન્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા

આજ્ઞાસામ્રાજ્ય
સુવિશાલ ગચ્છાધિપતિ, પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ધર્મચક્રતીર્થ પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજા

વાચના ઉપનિષદ્ (પાવન નિશ્રા)
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લબ્ધિવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ

વધુ અપડેટ્સ માટે વિડિઓઝ

વધુ અપડેટ્સ માટે વિડિઓઝ

ઇમેજ ગેલેરી

Scroll to Top